આયખું બદલી શકે
એ ભલે લાંબા સમયથી બંધ હો પણ આખરે,
એક પગરવ માત્ર પગરવ બારણાં ખોલી જશે
સ્વપ્નમાં તું કોઇ’દી આવી મને મળ તો ખરી
તું દરિયામાં ડૂબતો માણસ બચાવી પણ શકે
હસ્તરેખાઓ જો બદલી ના શકે તો શું થયું?
શક્ય છે કે એક ટહુકો આયખું બદલી શકે
મારા માટેની બધાની લાગણીને જાણવા
એક પળ મૃત્યુ પછીની જીવવા તું આપજે
- અમિત ત્રિવેદી
Advertisement
Nice Ghazal from Amit Trivedi.
Thanks
Parth Ketan Raval - August 8, 2009 at 4:40 pm |